Thursday, April 19, 2012

યદા યદા

યદા યદા હી ધર્મસ્ય
કહી તું તો ખરો થઇ ગયો છે અદ્રશ્ય
રઘુકુલ વાળાની વાત અલગ,
તું તો કૃષ્ણ, પોલીટીશ્યન
તારા વચનમાં હતું કંઈ તથ્ય ?

હા, હા, સમજી ગયો તારું સત્ય
રક્ષવાને રહ્યા નથી સાધુ
ને દુષ્ટ તો આમેય કાઢવાના છે એકબીજાનું કાઠું
એટલે આ યુગે ફેરો ખાવાનું નથી કંઈ રહ્યું અગત્ય
-ભરત શાહ

No comments:

Post a Comment