Sunday, November 6, 2011

કુરુક્ષેત્રે

છવાઈ ચોદિશ જ્યાં નફરતની નિગાહ છે
પૂછો ના આ ભૂમિને ક્યારે એનો તિઆહ છે !
હર નગરની નદીમાં રુધિરનો પ્રવાહ છે
હર ગામની સીમે ક્યાંક ખાંભી કે દરગાહ છે

હર ઘાવનો, કત્લેઆમનો, ખુદા ગવાહ છે
કુરુક્ષેત્રે કૃષ્ણ તો બીજે ઈશુ અલ્લાહ છે
માટીના મનુજ નો ક્યાં આ ગુનાહ છે
બનાયો જેને, એનેજ ક્યાં પરવાહ છે ?
-ભરત શાહ