Monday, September 3, 2012

ગાંડપણ


ચાલો એક કામ કરીએ.
એક જાહેરાત કરીએ.
જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય
તેમને, એમના ધર્મ અનુસાર,
આજે જ કે આજ પછી આવતા પહેલાજ
રવિવારની સાંજે બરાબર છ વાગે

મંદિર, મસ્જીદ, દેવળ, દેરાસર,
ગુરુદ્વારા, અગિયારી, સિનગાગ
વિગેરેમાં ભેગા થવાનો અનુરોધ કરીએ.
પ્રતિજ્ઞા લઇ એલાન કરીએ કે
જ્યાં સુધી આ બધા પવિત્ર ધામો
આવા સિદ્ધ માનવોથી પુરેપુરા
ભરાઈ ના જાય ત્યાં સુધી
ઈશ્વરના નામે,
દુનિયાના કોઈ પણ ખૂણે
એક બુંદ પણ
માનવ રુધિર નહિ વહાવીએ
ધત્ત...
ગાંડપણ નહીં તો
બીજું શું કહેવાય ?
ભરત શાહ

No comments:

Post a Comment